Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કેઇઝન ગ્રુપ દ્વારા શનિવારે ધો-૧૨ના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનારઃ પ્રમાણપત્ર અપાશે

સરકાર દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપની માહિતી અપાશે

રાજકોટઃ તા.૩૧, અહિના જાણીતા કેઇઝન ગ્રુપ દ્વારા આ શનિવારે તા.૨ના રોજ હોટલ ઇમ્પીરીયલ પેલેસમાં સવારે ૯ વાગે એક ફ્રિ  સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમા વિદ્યાર્થીઓને ગર્વમેન્ટ દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ અને વ્યાજ વગરની એજયુકેશન લોન વગેરેની માહિતી આપવામાં આવશે.

 ધો-૧૨માં જેમને સારા  પી.આર મેળવ્યા હોય એમનું સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવશે તેમજ ધો-૧૨ બાદ ઉપલબ્ધ વિવિધ અભ્યાસ ક્રમો વિશે વિવિધ કોલેજના તજજ્ઞો દ્વારા માગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં ફ્રિ રજીસ્ટ્રેશન કરાવવા માટે માર્કશીટની ઝેરોક્ષ કેઇઝન ગ્રુપ કાર્યાલય ઓફિસ નં.૧૬ ગ્રાઉન્ડ ફલોર  કોસ્મોપ્લેક્ષ મહિલા કોલેજ ચોક ખાતે પહોંચાડી  દેવી પ્રથમ ૨૦૦ વિદ્યાર્થીઓનુ જ રજીસ્ટ્રેશન કરી ર્સ્ટીફિકેટ આપવામાં આવશે વધુ માહિતી માટે મો.૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર વસીમ માકડાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)