Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

શહેર પોલીસના ૪ એએસઆઇ નિવૃત

સાંજે મણિયાર હોલ ખાતે નિવૃતિ વિદાયમાન કાર્યક્રમ

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં ચાર એએસઆઇ આજે વય મર્યાદાને કારણે નિવૃત થતાં હોઇ તેમને વિદાયમાન આપવા સાંજે ૭:૩૦ કલાકે શ્રી અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે સંગીત સંધ્‍યાનો કાર્યક્રમ રખાયો છે. ટ્રાફિક શાખાના એએસઆઇ નટુભાઇ કરસનજીભાઇ ભરાડ, ભીખાભાઇ ફકીરમહમદભાઇ તથા એમઓબીના ભીખુભાઇ કાનજીભાઇ ગોહેલ અને હેડક્‍વાર્ટરના મનસુખભાઇ નાથાભાઇ ચાવડા આજે વયમર્યાદાના કારણે નિવૃત થયા છે.

તેમને વિદાયમાન આપવાના કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, અડી. ડીસીપી હર્ષદ મહેતા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. કે. ઝાલા સહિતના અધિકારીઓ તથા ટ્રાફ્રિક બ્રાંચ અને શહેર પોલીસના અન્‍ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહેશે.

સંગીત સંધ્‍યા સાથે ભોજન સમારંભનું આયોજન પણ કરાયું છે. સંગીત સંધ્‍યામાં મનસુખ વાવેચા, શ્રીમતિ ગીતા ગઢવી, હસમુખ સોની, શ્રીમતી માયા ભોજવાણી, ધનંજય વ્‍યાસ અને બિપીન કોટક ગીતો રજુ કરશે. નટુભાઇએ ઉના, તાલાલા, સોમનાથ ખાતે તથા મનસુખભાઇએ પણ શહેર પોલીસમાં અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવી છે. તેઓ રક્‍તદાતા પણ છે. ભીખુભાઇ કાનજીભાઇએ એસીપી પૂર્વની કચેરીમાં ફરજ બજાવી છે. જયારે ભીખાભાઇ ફકીરમહમદભાઇએ પણ ભક્‍તિનગર અને ટ્રાફિક શાખામાં પ્રશંસનીય ફરજ અદા કરી છે.

(3:07 pm IST)