Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મકાન ખાલી કરી ભાગી જવાનું કહી ઉર્મિલાબેન પર હુમલો

પોપટપરા જેલ પાછળ બનાવઃ પડોશી મુસ્‍લિમ પરિવારનો ભારે ત્રાસ હોવાનું વૃધ્‍ધાનું કથન

રાજકોટ તા. ૩૧: પોપટપરા સેન્‍ટ્રલ જેલ પાછળ સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતાં ઉર્મિલાબેન હરવિજયસિંઘ આઝાદ (ઉ.૬૨) નામના શીખ વૃધ્‍ધાને સાંજે પડોશમાં જ રહેતી જુબીબેન, તેના પતિ હૈદરભાઇ અને પુત્ર ઘેટુએ ઝઘડો કરી ઢીકાપાટુ અને લાકડીનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

ઉર્મિલાબેનના કહેવા મુજબ પડોશીઓ દ્વારા લાંબા સમયથી નાની-નાની વાતે હેરાન કરવામાં આવે છે અને ઘર ખાલી કરી ભાગી જવાનું કહી ધમકી અપાય છે. ગત સાંજે પણ આ લોકોએ હુમલો કરી ધમકી આપી હતી. પ્ર.નગર પોલીસ મથકમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એન્‍ટ્રી નોંધાવી હતી.

(3:00 pm IST)