Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સોમવારે પેન્‍ટાગોન-કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા પૂ. જલારામ બાપા જન્‍મોત્‍સવ ઉજવાશે

રાજકોટ તા. ર૯: પેન્‍ટાગોન-કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની રર૩મી જન્‍મ જયંતિ મહોત્‍સવ ઉજવાશે.

પ. પૂ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની કૃપાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ ઉજવવા માટે ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં તા. ૩૧ ને સોમવારે મહાઆરતી સાંજે ૭.૦૦ કલાકે, મહા પ્રસાદઃ સાંજે ૭.૩૦ કલાકે જલારામ ધામ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટની સામે, હવેલી ચોક પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાશે.

ભાવિકોને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

(4:56 pm IST)