Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કલેકટર તંત્રે આજે એક સાથે ૫ ટ્રેનો દોડાવી : કેરળમાં પહેલીવાર ટ્રેન મોકલાશે : રાજકોટ - સૌરાષ્ટ્રના મુસાફરો

આજે તંત્ર દ્વારા છેલ્લુ બુકીંગ હતુ : હવે જરૂર પડયે ટ્રેનો બૂક કરાશે

રાજકોટ તા. ૨૫ : રાજકોટ કલેકટર તંત્રે આજે વહેલી સવારથી યુપી, ઓરીસ્સા, બિહાર, ઝારખંડ અને કેરળ માટે કુલ ૫ ટ્રેનો બૂક કરી હતી. આજે આ છેલ્લુ બુકીંગ હતું, હવે હાલ કોઇ બુકીંગ નથી, પરંતુ જરૂર પડયે શ્રમીકોને જે તે રાજ્યમાં ટ્રેનમાં મોકલવા અંગે કાર્યવાહી કરાશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

આજે વહેલી સવારે ૪ વાગ્યે યુપી, ૬ વાગ્યે બીહાર, ૧૨ વાગ્યે ઓરીસ્સા તરફ શ્રમીક સ્પેશ્યલ ટ્રેનો મોકલાઇ હતી, રાત્રે ૯ વાગ્યે એક ટ્રેન ઝારખંડ જશે અને રાત્રે ૧૨ાા વાગ્યે એક ટ્રેન કેરળ મોકલાશે.

સૂત્રોએ જણાવેલ કે, કેરળમાં પહેલી ટ્રેન આજે જશે, તેમાં રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરના મુસાફરોને આવરી લેવાયા છે.

(2:54 pm IST)