Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

પાનની દુકાનોને મંજુરી નહી મળતા બંધાણીઓમાં ઘોર નિરાશા

રાજકોટ : આજે રાજય સરકારે આવતીકાલથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનો ખોલવાની મંજુરી આપી છે પરંતુ પાન-ગુટખા-ઠંડા પીણા અને હેરકટીંગ સલુનને મંજુરી આપી નથી. સરકારના આ નિર્ણયથી પાન ફાકી, માવા તમાકુની પડીકીના શોખીન ઘોર નીરાશા ફેલાઇ ગઇ છે. અત્યાર સુધી બંધાણને સંતોષવા શોખીનોએ ભારે દોડધામ કરી હતી અમુક બંધાણીઓએ તો કાળાબજારમાં પણ પાન-ફાકી તમાકુ લઇ પોતાનો શોખ પુરો કર્યો હતો, પરંતુ હવે ૩ તારીખ સુધી પાનની  દુકાનોને મંજુરી નહી મળતા બંધાણીઓ નિરાશ થયા છે.

(3:51 pm IST)