Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

જંગલેશ્વરના કલસ્ટર અને કોર્ડન ઝોનમાં ડીસીપી-પીઆઇનું રાતે ઓચિંતુ ચેકીંગ

કોરોનાને કારણે જંગલેશ્વરમાં કર્ફયુ લદાયો હતો તે ઉઠાવી લેવાયો છે. પરંતુ લોકડાઉનની કડક અમલવારી યથાવત છે. પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો હોઇ લોકો લોકડાઉન ભંગ ન કરે તે માટે સમજાવાયા છે. જંગલેશ્વરના કલસ્ટર ઝોન અને કોર્ડન કરેલા બફરઝોનમાં તમામ પોઇન્ટનું ડીસીપી રવિમોહન સૈની અને ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવીએ ઓચિંતું ચેકીંગ કર્યુ હતું. બંદોબસ્તમાં રહેલા જવાનોને પણ તેમનું સ્વાસ્થ્ય સાચવવા અને સેનીટાઇઝેશનનું ધ્યાન રાખવા સુચના અપાઇ હતી. પોલીસ કન્ટ્રોલ રૂમના સીસીટીવી રૂમ ખાતેથી પણ જંગલેશ્વરના પોઇન્ટનું નિરિક્ષણ કરાયું હતું.

(3:06 pm IST)