Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આણંદપર નવાગામની રપ ચો.મી.ની જમીન ઉપર દબાણ થાય તે પહેલા અટકાવો

હાલ ભૂમાફીયાઓ આવી પેરવી કરી રહ્યા છેઃ કલેકટરને ફરિયાદ

રાજકોટ તા રરઃ દૂધસાગર રોડ પ-શીવાજીનગરમાં રહેતા સુરેશભાઇ મકવાણાએ કલેકટરને ફરિયાદ અરજી કરી યુ.એલ.સી.ની સર્વ નં. ૧૯૧/૧ પૈકી આણંદપર નવાગામ જે રપ ચો.મી.ની જમીન ઉપર દબાણ થતું અટકાવવા માંગણી કરી હતી.

ફરીયાદમાં ઉમેરેલ કે શહેરી ગરીબોને રપ ચો.મી. જમીન સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ જે રર૮ પ્લોટ ધારકો બાંધકામ કરવા જતાં આ જમીન માલીક અને કલેકટરશ્રીને કોર્ટ કેસ ચાલે છે તેવું ઓફિસમાં કહેવામાં આવેલ હાલ આ જમીન ખુલી પડેલ છે. જેમાં અમુક અસામાજીક તત્વો અને ભૂમાફીયાઓ દ્વારા સુચિત સોસાયટી ઉભી કરાતી હોવાની ચર્ચા ચાલે છે અને આ લોકો દ્વારા આ જમીન ઉપર માપણી કરેલ હોય તેવું સ્થળ ઉપર લાગે છે. તો આપ વિનંતી કે તાકિદે યોગ્ય પગલા લઇ દબાણ થાય તે પહેલા અટકાવી-ગરીબોની જમીન હડપ ન થાય તે જોવા અરજ છે.

(3:42 pm IST)