Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મીડિયાના મિત્રો-પત્રકારો,એમના પરિવાર માટે પ્રથમ વાર સમર્પણ ધ્યાન શિબિર

રાજકોટ,તા. રર :  હિમાલયના પરમસિદ્ઘ યોગી,જેમના આભા મંડળની ઊર્જા જ વ્યકિતને સકારાત્મક અને આધ્યાત્મિક-આંતરિક વિકાસ તરફ લઈ જવા સક્ષમ છે એવા ર્ંશ્રી શિવકૃપાનંદજી રાજકોટ પધારી રહ્યા છે.

સમર્પણ ધ્યાનનો વ્યાપ એમના માધ્યમથી વિશ્વના અનેક દેશમાં થયો છે. કોઈ જ સાંપ્રદાયિક બાધા, સંકિરણતા વગર બધા આ ધ્યાન દ્વારા અધ્યાત્મના માર્ગે જઈ શકે છે. અધ્યાત્મ એટલે અહીં વૈરાગ્ય કે સંસાર વિમુખતાની વાત નથી. જયાં છીએ ત્યાં સ્થિર રહીને પણ યાત્રા ચાલે અને યાત્રા કરતાં કરતાં પણ સ્થિર રહેવાય એ આ સમર્પણ ધ્યાન શીખવે છે.

 શિવકૃપાનંદજીની ધ્યાન શિબિરો આમ તો વિડિઓ દ્વારા સતત થતી રહે છે. પણ રાજકોટના પત્રકારોના સદનસીબે બાબા પોતે આવી રહ્યા છે.  પત્રકારો સૌ થી વધુ માનસિક તણાવ,દોડધામ કરીને કામ કરનારા લોકોમાંના એક છે. એ ઘટમાળમાં પત્રકારો-માધ્યમ કર્મીઓ જીવન અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવી શકે. આંતર વિશ્વમાં એમનો વિહાર થાય અને સ્થિરતા આવે એ માટે ખાસ મીડિયાના લોકો અને એમના પરિવારજન માટે આ શિબિરનું આયોજન તા.૨૪ જૂન,સોમવારે ૨૦૧૯ સવારે ૬.૩૦ થી ૮.૩૦ દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર આવેલાં આત્મીય યુનિવર્સીટીના સભાગૃહમાં કરાયું છે.ઙ્ગઙ્ગ સમર્પણ ધ્યાનની મીડિયા માટે જ ખાસ થતી હોય એવી આ સૌ પ્રથમ શિબિર છે. સ્વામીજી એ એક પ્રકારે આશીર્વાદ વરસાવ્યા છે.

વધુ વિગતો માટેઙ્ગ મોબાઈલ નંબર ૯૮૨૪૮૯૦૯૧૭  તથા ૯૪૨૬૫ ૩૩૪૪૬  પર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:44 am IST)