Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રૈયાધાર કવાટરમાં પત્ની રીસામણે ચાલી જતા પતિ સુરેશભાઇનો સળગી આપઘાત

રાજકોટ તા. ર૧ : રૈયાધાર સ્લમ કવાર્ટરમાં પત્ની રિસામણે ચાલી જતા પતિએ સળગી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાટર પ્લોટ નં. ૧પ૦માં રહેતા સુરેશભાઇ જસાભાઇ મકવાણા (ઉ.૩પ) એ ગઇકાલે પોતાના ઘરે સળગી જતા દેકારો બોલતા આસપાસના લોકોએ આગ બુઝાવી સુરેશભાઇને ઠાર્યા હતા બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ના તબીબો  તપાસ કરતા તેનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ભગીરથસિંહ ખેરએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતક સુરેશભાઇના જયશ્રીબેન સાથે બીજા લગ્ન થયા હતા જયશ્રીબેનના પણ બીજા લગ્ન હતા તેને સંતાનમાં એક પુત્ર છે. બંને વચ્ચે ઝઘડો થતા પત્ની જયશ્રીબેન શાપર વેરાવળ માવતરે રિસામણે હોઇ, તેથી લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છ.

(3:43 pm IST)