Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પોપટપરાની ૧૬ વર્ષની સગીરાનું અપહરણ

સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે ગુનો

રાજકોટ,તા.૨૧: પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.

મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા.૧૯/૭ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા તેના પતિએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પીઆઈ. બી.એમ. કાતરીયા તથા રાઈટર સંજયભાઈ દવે અને વિરભદ્રસિંહે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સગીરાના પિતા રેલવે પોસ્ટ ઓફીસમાં ફરજબજાવે છે. તે ભાવનગરના ધોળા ગામેથી છ માસ પહેલા રાજકોટ રહેવા આવ્યા હતા.(૩૦.૬)

 

(2:34 pm IST)