Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

હરીવંદના કોલેજના ચેરમેન - સીન્‍ડીકેટ સભ્‍ય મહેશ ચૌહાણ કોરોનાથી સંક્રમિત

ડો. મીલાપ મશરૂ અને ડો. જયેશ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સારવારઃ સંપર્કમાં આવેલા લોકોએ કાળજી રાખવી અને ટેસ્‍ટીંગ કરાવવા અપીલ
રાજકોટ તા. ૧૮ : કોરોનાની ત્રીજી તીવ્ર લ્‍હેરમાં અનેક લોકો કોવિડ-૧૯થી પોઝિટિવ થઇ રહ્યા છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સીન્‍ડીકેટ સભ્‍ય અને ભાજપ અગ્રણી તેમજ હરિવંદના ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન મહેશભાઇ ચૌહાણ પણ કોરોનાથી સંક્રમિત થતા હાલ સારવાર હેઠળ છે.
થોડા દિવસ પૂર્વે ભાજપ અગ્રણી અને સીન્‍ડીકેટ સભ્‍ય મહેશભાઇ ચૌહાણને શરદી અને તાવના લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવેલ. જેમાં કોરોનાથી સંક્રમિત માલુમ પડેલ.
મહેશ ચૌહાણે જણાવેલ કે, તેમની તબીયત સારી છે. સ્‍ટાર કોવિડ સિર્નજી હોસ્‍પિટલ ખાતે ડો. મિલાપ મશરૂ અને ડો. જયેશ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ છે. તેમના સંપર્કમાં આવેલા લોકોએ કાળજી રાખવી અને ટેસ્‍ટીંગ કરાવવા અપીલ કરી છે.

 

(2:37 pm IST)