Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બેડીનાકા પાસે ટ્રકે સાયકલને ઉલાળતા મયુદ્દીનભાઇ માલવણીયાનું મોત

રાજકોટ, તા. ૧૭ : બેડીનાકા ટાવર કેસરી હિન્દ પુલ પાસે ટ્રકે સાયકલને હડફેટે લેતા મુસ્લિમ આઘેડનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ભગવતીપરા જય પ્રકાશનગર શેરી નં. ૧રમાં રહેતા મયુદ્દીનભાઇ ઉમરભાઇ માલવણીયા (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાની સાયકલ લઇને જતા હતાં ત્યારે બેડીનાકા ટાવરથી કેસરી હિન્દ પુલ પાસે પહોંચતા જીજે-૧૦-ટીવી ૭૪પ૦ નંબરના ટ્રકના ચાલકે સાયકલને ઉલાળતા મયુદ્દીનભાઇ ફંગોળાઇ ગયા હતાં.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં બાદ જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા મુસ્લિમ આઘેડનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે.એ. જાડેજાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મયુદ્દીનભાઇ ત્રણભાઇમાં વચેટ હતાં તે છૂટક મજૂરી કામ કરતા હતા. આ અંગે પોલીસે મૃતકના મોટાભાઇ ઇબ્રાહીમભાઇ માલવણીયાની ફરીયાદ પરથી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(3:45 pm IST)