Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ડો. કથીરિયાનું ૧૩૧મી વાર રકતદાન

 પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ તથા રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષ ડો. વલ્લભભાઇ કથિરીયાએ નરેન્‍દ્રભાઇના જન્‍મદિન નિમિતે લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામના ગ્રીન સીટી ખાતે યુવા ભાજપ આયોજીત મહારકતદાન કેમ્‍પમાં જીવનનું ૧૩૧મું રકતદાન કરી આહુતિરૂપે નરેન્‍દ્રભાઇની સેવાભાવનાને અનુરૂપ અનુકરણીય સેવા કાર્ય દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. આજના શુભ દિને ડો. કથીરિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇના સ્‍વસ્‍થ દીર્ધાયુ અર્થે બાલાજી હનુમાન મંદિર પરિસરમાં યજ્ઞમાં આહૂતિ આપી કષ્‍ટભંજન હનુમાનજી મહારાજને પ્રાર્થના પણ કરી હતી. આ મહોત્‍સવમાં સાંસદ મોહનભાઇ, ધારાસભ્‍ય લાખાભાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ, મહામંત્રી મનીષભાઇ, મનસુખભાઇ તથા વિવિધ આગેવાનો સર્વશ્રી ભાનુભાઇ મહેતા, ચેતનભાઇ રામાણી, સતીષ શીંગાળા, મુકેશ કમાણી, મોહનભાઇ દાફડા, બાબુભાઇ નસીત, હિતેષ ચાવડા, કરણ લાવડીયા, ભાનુબેન બાબરીયા, સીમાબેન જોશી સહિત ભાજપના કાર્યકરોએ ઉપસ્‍થિત રહી રકતદાન કર્યું હતું.

(4:31 pm IST)