Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

લક્ષ્મીનારાયણદાસજી સ્વામીના અસ્થિનું ગંગોત્રીધામમાં વિસર્જન

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્ય અને ગુરુકુલના ઘરેણા સમાન અક્ષર નિવાસી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીના પવિત્ર અસ્થી વિસર્જન દેવભૂમિ ગંગોત્રીધામમાં ગુરૂવારે ભાદરવા વદ પાંચમના દિવસે ગુરુકુલના સેવક અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વસંતભાઇ લીંબાસીયા તથા શ્રી કે.પી.સ્વામી તથા વલ્લભભાઇ લીંબાસીયા, જયેશભાઇ ચાવડા, મહેશભાઇ ટાંક, રાજુભાઇ સુરતવાળા તથા અન્ય હરિભકતો દ્વારા પ્વિત્ર ગંગોત્રી નદીમાં કરાયેલ. ભૂદેવ શ્રી હરેન્દ્રભાઇ તોરીગામ વાળા દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન કરી અસ્થિ પધરાવામાં આવેલ હતા.

 

(4:26 pm IST)