Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

નરેન્દ્રભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવતા મનપા પદાધિકારીઓ

રાજકોટ : આજરોજ વિકાસશીલ ભારતના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવતા મેયર ડૉ.પ્રદીપ ડવ, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાશકપક્ષ નેતા વિનુભાઈ ધવા, શાશકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો ખુબ જ વિકાસ થયો છે અને એક વિકાસશીલ ભારત તરીકે ભારતનું વિશ્વના નકશામાં નામ થયેલ છે. નરેન્દ્રભાઇ દ્વારા ભારતના વિકાસ અર્થે અનેકવિધ સુધારાઓ અને અનેકવિધ યોજનાઓ મુકી છે. સામાન્ય માણસને ધ્યાને લઇ અનેકવિધ સરકારી લોકઉપયોગી યોજનાઓ અમલમાં મુકેલ છે. તેમના નેતૃત્વમાં ભારત એક મહાશકિત તરીકે વિશ્વના નકશામાં ઉપસી આવેલ છે. નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત તરફ ખુબ જ આગળ વધારેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં વ્યાપારિક, રાજનૈતિક, વિકાસશીલ એમ દરેક મોરચે સફળતા મેળવી વિશ્વકક્ષાએ દેશને નામના અપાવેલ છે. વિશેષમાં, દેશના ગરીબ અને મધ્યમવર્ગના હિતમાં અનેક યોજનાઓ આપેલ છે. જેમ કે, ઘરનું ઘર મળે, જનધન યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્વલા યોજના વગેરે ગરીબોને આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. રાજકોટ શહેરને પણ એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપેલ છે. જેનાથી રાજકોટ રાજ્યનું એક આગવું શહેર તરીકે ઉભરી આવશે.

 

(4:17 pm IST)