Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

માલવીયાનગર, ગાંધીગ્રામ અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇની નિમણુંક

મેડમ આઇ. એન. સાવલીયાને માલવીયાનગર, એસ. એસ. રાણેને ગાંધીગ્રામ અને કે. જે. કરપડાને આજીડેમ પોલીસનો ચાર્જ સોંપાયોઃ માલવીયાના કે. એન. ભુકણ લાયસન્સ બ્રાંચમાં

રાજકોટ તા. ૧૭: આગામી ચૂંટણી અંતર્ગત પોલીસ બેડામાં નીકળેલા બદલીના ઘાણવામાં રાજ્યભરના પોલીસ ઇન્સ્પેકટરની સાથે રાજકોટ શહેરના પોલીસ ઇન્સ્પેકટર્સની પણ બદલીઓ થઇ છે. તેમજ સામે નવા પીઆઇને રાજકોટમાં મુકવામાં આવ્યા છે. દરમિયાન આજે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ત્રણ પોલીસ સ્ટેશનમાં ત્રણ નવા પીઆઇની નિમણુંક કરી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ જી. એમ. હડીયાની સુરત બદલી થઇ હોઇ તેમની જગ્યાએ પીઆઇ એસ. એસ. રાણેને મુકવામાં આવ્યા છે. જ્યારે માલવીયાનગરમાં ફરજ બજાવી રહેલા પીઆઇ કે. એન. ભુકણને લિવ રિઝર્વ એટેચ લાયસન્સ બ્રાંચમાં મુકાયા છે. તેમની જગ્યાએ સુરતથી આવેલા મહિલા પીઆઇ ઇલાબેન એન. સાવલીયાની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. જે. ચાવડાથી પણ બદલી થઇ હોઇ તેમની ખાલી પડેલી જગ્યાએ પીઆઇ કે. જે. કરપડાની નિમણુંક થઇ છે.  પીઆઇ કરપડાએ અગાઉ ભાવનગર સીટી અને અમદાવાદમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી. તસ્વીરમાં પીઆઇ આઇ. એન. સાવલીયા, પીઆઇ એસ. એસ. રાણે અને પીઆઇ કે. જે. કરપડા જોઇ શકાય છે.

(4:09 pm IST)