Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટ બાર એસો.ની સોમવારે જનરલ બોર્ડની બેઠક મળશે

રાજકોટ તા. ૧૭: આગામી તા. ૧૯-૯-રર નાં રોજ બપોરે ૧-૩૦ વાગે રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડની સભા મળનાર છે.

બાર.ના સેક્રેટરી પી. સી. વ્યાસની યાદી જણાવેલ છે કે, રાજકોટની વિવિધ કોર્ટોમાં વકીલોને જયુડી. ઓફીસરો તરફથી કોર્ટ-કાર્યવાહીમાં મુશ્કેલીઓઉભી કરવામાં આવે છે. તેમજ વકીલોની ગરીમા જળવાતી ન હોય તે પ્રશ્ન તેમજ રાજકોટ ખાતે વકીલાત કરતાં અમરેલીના એક વકીલ રાજકોટમાં પ્રેકટીસ કરતાં હોય તેની વિરૃધ્ધ બાર.ના સભ્ય અને કારોબારી સભ્ય વિવેક સાતાની આવેલ અરજીના સંદર્ભે જનરલ બોર્ડ બોલાવવામાં આવેલી છે.

આ જનરલ બોર્ડ જયુડી. ઓફીસરોની વર્તણુંક અને વકીલ દ્વારા આચરવામાં આવતી પ્રોફેશનલ મીસ કન્ડકટ અંગે આ બેઠક મળી રહી છે.

(4:06 pm IST)