Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પૂ. ધીરગુરૃદેવની નિશ્રામાં પ૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા

રાજકોટ, તા. ૧૭ :  શ્રી જશાપર સમસ્ત ગામના ઉપક્રમે પ્રથમ જ વાર ચાતુર્માસ બિરાજીત જૈન મુનિ પૂ. ધીરગુરૃદેવની નિશ્રામાં ઐતિહાસિક પ૧ ઉપવાસની મોતીબેન પ્રકાશભાઇ કરમુર અને ૩૬ ઉપવાસની સુનિતાબેન જગદીશભાઇ ભોગાયતા ઉગ્ર તપશ્ચર્યા કરી રહેલ છે. તપસ્વીઓના પારણા તા. રર ને ગુરૃવારે સવારે ૯-૩૦ કલાકે સેવા સંંકુલમાં યોજાયેલ છે.

જયારે તા. ૧૮-૯ ને રવિવારે સવારે ૯-૩૦ થી ૧૧ કલાકે નવકાર અપાવે સત્કાર વિષય પર પ્રવચન અને દાનવીર જીતુભાઇ બેનાણીના પ્રમુખ સ્થાને સમસ્ત ગામમાં ઘરલાણીનું વિતરણ માતુશ્રી રમીલાબેન હરકિશનદાસ બેનાણી તરફથી કરાશે.

(3:27 pm IST)