Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જંકશન રેલ્વે સ્ટેશનમાં અજાણ્યા પ્રોૈઢનું મોતઃ વાલીવારસની શોધ

રાજુ કેશા નામ હોવાની શકયતાઃ હાથ પર જય રામાપીર, ઓમ અને શ્રીરામ ત્રોફાવેલાઃ રેલ્વે પોલીસ દ્વારા તપાસ

 

રાજકોટ તા. ૧૭: જંકશન રેલ્વે સ્ટેશન  પ્લેટફોર્મ નં. ૨ ઉપર દિવ્યાંગ શોૈચાલયની પાછળથી આશરે ૫૦ વર્ષના પ્રોૈઢનું બિમારી  કે કુદરતી રીતે મૃત્યુ નિપજતાં રેલ્વે પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકના જમણા હાથ પર જય રામાપીર અને કલાઇ પર ઓમ તથા શ્રી રામ ત્રોફાવેલ છે. શરીરે બ્લુ ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલા છે. તેનું નામ રાજુ કેશા હોવાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્વે એએસઆઇ હરવિજયસિંહનો મો. ૯૮૨૪૪ ૦૦૫૪૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:44 pm IST)