Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગોંડલના દેવચડીના મનોજભાઇ આહિરનું વાહન અકસ્માતમાં મોત

ઘરેથી વાડીએ જતી વખતે ટ્રેકટર સાથે બાઇક અથડાયું: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોકલૃ

રાજકોટ તા. ૧૭: ગોંડલના દેવચડી નજીક ટ્રેકટર સાથે બાઇક અથડાતાં આહિર યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું.

દેવચડી રહેતાં મનોજભાઇ બાઘાભાઇ બલદાણીયા (આહિર) (ઉ.૩૫) રાતે નવેક વાગ્યે ઘરેથી વાડીએ બાઇક હંકારીને જતાં હતાં ત્યારે દેવચડી નજીક જ ટ્રેકટર જતું હોઇ તેના ચાલક અચાનક બ્રેક મારતાં પાછળ બાઇક અથડાતાં મનોજભાઇને ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર મનોજભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના તથા કુંવારા હતાં. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(11:36 am IST)