Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જયશ્રી માં આશાપુરા મિત્ર મંડળ શ્રી ભગવતી ગ્રુપ દ્વારા સુરજબારી ચેક પોસ્‍ટ પાસે કાલથી ત્રણ દિવસ પદયાત્રી કેમ્‍પ

રાજકોટ, તા.૧૭: માં આશાપુરા ધામ માતાના - મઢ કચ્‍છ ખાતે પદયાત્રીઓ, ભાવિકજનો નવરાત્રી દરમ્‍યાન પગપાળા દુર દુરથી માં આશાપુરાના ચરણ સ્‍પર્શ કરવા તેમજ માંની માનેલ માનતા પૂર્ણ કરવા અપાર શ્રધ્‍ધા અને માતાજી ઉપર વિશ્‍વાસ રાખી દિવસ-રાત માં આશાપુરાનું નામ જપ્‍તા મહારાષ્‍ટ્ર, સૌરાષ્‍ટ્રના હજારો પદયાત્રી માં આશાપુરાના દર્શન કરવા પગપાળા જાય છે.

સેવા એ જ ધર્મના ઉદેશને ધ્‍યાનમાં રાખી જયરી માં આશાપુરા મિત્ર મંડળ ભગવતી ગ્રૃપ રાજકોટ દ્વારા પદયાત્રી કેમ્‍પનું આયોજન કરાયુ છે. તા.૧૮/૧૯/૨૦, દિવસ -૩, રવિવાર, સોમવાર અને મંગળવાર, ચોવીસ કલાક દિવસ-રાત સંપૂર્ણ સગવડ સાથે આયોજકોનું મહાન અભિયાન કરેલ છે. આ સેવા કેમ્‍પમાં પદયાત્રીઓ મહાપ્રસાદ, નાસ્‍તો, ચા, તેમજ સુવા બેસવા અને આરામ કરવાની સંપૂર્ણ સુવિધા રાખવામાં આવેલ છે. ઉપરાંત મેડીકલ સારવાર સાથે ભગવતી સેવાયજ્ઞ કાર્ય હાથ ધરેલ છે.

આ સેવા કેમ્‍પમાં નાત-જાતના ભેદભાવ વગર સેવા એ જ ધર્મના ધ્‍યેયને ધ્‍યાને લઇ જયશ્રી માં આશાપુરા મિત્ર મંડળ - ભગવતી ગ્રુપના સ્‍વયંસેવકો સેવા આપશે. માતાના-મઢ જતા દરેક પદયાત્રીઓને વિના સંકોચ વિના મુલ્‍યે ૨૪ કલાક દિવસ-રાત પદયાત્રીઓને લાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ માહિતી માટે જયશ્રી માં આશાપુરા મિત્ર મંડળ ભગવતી ગ્રુપ, સુરજબારી ચેક પોસ્‍ટ, સુરજબારી રેલ્‍વે સ્‍ટેશન સામે, નિરજભાઇ ચાવડા - (મો.૯૮૭૮૯ ૬૧૫૧૫) નીતીનભાઇ મેવાડા (મો.૯૮૨૫૬ ૭૯૭૯૭)નો સંપર્ક કરી શકાશે. તેમ વિનોદભાઇ પોપટ (મો.૯૯૭૯૯ ૦૭૨૧૮)ની યાદીમાં જણાવાયુ છે.

જે.પી.ફાર્મ હાઉસ મોરબી રોડ ખાતે બારમાસી પદયાત્રી સેવા કેમ્‍પ

માતાના - મઢ કચ્‍છ જતા તમામ પદયાત્રીઓ માટે જે.પી.ફાર્મ હાઉસ મોરબી રોડ ખાતે સંપૂર્ણ સુવિધા ધરાવતો કેમ્‍પ રાખેલ છે. જેમાં રહેવા, જમવા, ચા, નાસ્‍તો, મેડીકલ સારવારનો લાભ લેવા તમામ પદયાત્રીઓને સેવા કેમ્‍પની સેવાભાવી આયોજક ભુદરભાઇ સતવારા તથા સતવારા સમાજ દ્વારા બારમાસી કેમ્‍પનો લાભ લેવા નાત-જાતના ભેદભાવ વગર વિના મુલ્‍યે વિના સંકોચ, ૨૪ કલાક નિઃસ્‍વાર્થ ભાવે સેવા કેમ્‍પ રાખેલ છે. લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ સેવાભાવી ભુદરભાઇ સતવારા (મો.૯૪૨૭૫ ૬૧૦૦૨) દ્વારા અનુરોધ કરાયો છે.

(11:28 am IST)