Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ખોડીયારપરામા છૂટાછેડા બાદ માવતરના ઘરે પૂજા ઉર્ફે પૂનમનો ગળાફાંસો ખાઇ આપઘાત

મહાકાળી સોસાયટી શ્રમજીવી સોસાયટી અને મેહુલનગરમા બેભાન હાલતમા ત્રણ મહિલાના મોત

રાજકોટઃ ૮૦ ફુટ  રોડ પર  રાજાવીર ચોક પાસે ખોડીયાર પરામાં માવતરના ઘરે રહેતી પૂજા ઉર્ફે પૂનમ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.ર૦) એ રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો. કોઇએ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી દિવ્યાબેન બારડ અને પૃથ્વીરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનુ જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જાદવએ પ્રાથમિક કાગળો કર્યા હતા જેની તપાસ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા પૃથ્વીરાજસિંહએ હાથ ધરી છે. મૃતક પુજા ઉર્ફે પૂનમના પિતા પ્રવિણભાઇ સોલંકી મજુરીકામ કરે છે. છુટાછેડા થયા બાદ પુજા માવતરના ઘરે રહેતી હતી.

(11:57 am IST)