Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સુરસંગમ દ્વારા કાલે સંગીત કાર્યક્રમઃ ૧૩ કલાકારો ગીતો પિરસશે

રાજકોટઃ શહેરની જાણીતી સંગીત સંસ્થા ''સુરસંગમ'' મ્યુઝીકલ ગ્રુપ દ્વારા તા.૧૫ને રવિવારે સાંજે ૫:૩૦ વાગે સંસ્થાના કલાકારો સર્વશ્રી ભાવેશ વ્યાસ, પ્રવિણ ડાભી, નિરૂબેન ડાભી, મીતા કટારીયા, અજય દવે, દિપક ગૌસાઇ, દિપક કકકડ, જયશ્રીબેન ચૌધરી, નિધિબેન બુધ્ધદેવ, સી.પી. પરમાર, મહેશ મકવાણા, ઇમ્તીયાઝ, ભરત સોની, માસ્ટર હર્ષલ ભટ્ટ, ઘનશ્યામ અગ્રાવત, મુબારક મકવાણા તથા સંસ્થાના પ્રમુખશ્રી સુરેશભાઇ વ્યાસ, પોતાના સુમધુર કંઠે જુની ફિલ્મોના સદાબહાર/ યાદગાર ગીતો પ્રસ્તુત કરશે.

આ કાર્યક્રમ ઇવનીંગ પોસ્ટ, સિનીયર સીટીઝન્સ પાર્ક જીલ્લા બેંક ભવન પાસે ચૌધરી હાઇસ્કુલ નજીક પ્રભુકૃપા હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે યોજાશે.

કાર્યક્રમમાં સંસ્થાના મિમિક્રિ આર્ટીસ્ટ શ્રી બિપીનભાઇ પારેખ પોતાની મીમીક્રી દ્વારા શ્રોતાઓને મનોરંજન પુરૂ પાડશે. ''સુરસંગમ'' સંસ્થાનો વર્ષનો ચોથો અને અંતીમ છે. નવા વર્ષ ૨૦૨૦થી સંસ્થા દ્વારા નવોદિત/ ઉભરતા ગાયકોને યોગ્ય તાલીમ આપીને સ્ટેજ/પ્લેટફોર્મ પુરુ પાડવા હમેંશા કટીબધ્ધ રહે છે.

કાર્યક્રમમાં શહેરના પ્રખ્યાત સંગીતજ્ઞ અને મ્યુઝીક કમ્પોઝરથી લલીતભાઇ ત્રિવેદી સંગીતના પથ-દર્શક અને ગાયક શ્રી ખોલીયા તથા સંગીતના અનન્ય ચાહક અને પ્રોત્સાહક કુ. સરલાબેન ત્રિવેદી હાજરી આપશે. કાર્યક્રમનું સંચાલન અને ઉદઘોષણા સંસ્થાના એન્કર જયોતિબેન સંભાળશે. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખશ્રી સુરેશભાઇ વ્યાસ મો.૮૭૮૦૮૦૮૨૬૩ જહેમત ઉઠાવી રહયા છે.

(3:59 pm IST)