Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ડે. કલેકટર પંકજસિંહજી જાડેજાની કાલે પુણ્‍યતિથિએ રકતદાન કેમ્‍પ

રાજકોટઃ થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકો, કેન્‍સર, કીડનીના દર્દીઓ તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તે હેતુથી તા.૧૫ને રવિવારે ડે કલે.શ્રી પંકજસિંહજી જાડેજાની ચતુર્થ પુણ્‍યતિથિ નિમિતે સવારે ૧૦ થી ૨ શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્‍તકાલય, શ્રોફરોડ ખાતે શ્રી મદ રાજચંદ્ર સેવાગ્રુપ અને રાજકોટ મહાનગર પાલીકાના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. ડે. કલે.શ્રી પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપના શ્રી અજયસિંહજી જાડેજા, શ્રી પ્રવિણભાઇ શીંગાળા તથા શ્રીમદ રાજચંદ્ર  સેવાગ્રુપના શ્રી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), પરેશ વાઘાણી, તેજસ સોઢા, અશોક બુશા માનદ સેવા આપશે.

(3:54 pm IST)