Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ટાઇલ્સનું માર્કેટીંગ કરતાં રાજકોટના વેપારીએ સોમનાથમાં ઝેર પીધું: મોત

રાજકોટ તા. ૧૪: શહેરમાં માધાપર ચોકડી પાસે રહેતાં અને ટાઇલ્સ માર્કેટીંગનું  કામ કરતાં ૫૭ વર્ષિય પ્રફુલભાઇએ બે દિવસ પહેલા સોમનાથ વેરાવળ ત્રિવેણી સંગમ ખાતે ઝેરી દવા પી લીધી હતી. તેમનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યાની શકયતા પ્રભાસ પાટણ પોલીસે દર્શાવી હતી.

પ્રફુલભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેઓ ટાઇલ્સનું માર્કેટીંગ કરતાં હતાં. ૧૧મીએ તમણે સોમનાથ વેરાવળ ખાતે પગલુ ભર્યુ હતું. ત્યાંથી સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્રભાસ પાટણ પોલીસને આ અંગે રાજકોટ પોલીસે જાણ કરી હતી. ત્યાંની પોલીસના કહેવા મુજબ સંભવતઃ આર્થિક સંકડામણ હોય તેવી શકયતા છે. વિશેષ તપાસ થઇ રહી છે.

(1:45 pm IST)