Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ખંભાળીયામાં છેતરપીંડીના ગુનામાં બે માસથી ફરાર સાગરપુરી રાજકોટમાં પકડાયો

આજીડેમ પોલીસે રણુજા મંદિર પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૩ :. આજીડેમ નજીક રણુજા મંદિર પાસેથી આજીડેમ પોલીસે બાતમીના આધારે ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં બે માસથી ફરાર શખ્સ રાજકોટ કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે આવ્યો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદિપસિંહ અને જયપાલભાઈને બાતમી મળતા રણુજા મંદિર પાસેથી સાગરપુરી નીતીનપુરી ગૌસ્વામી (ઉ.વ. ૨૪) (રહે. રૂષીપ્રસાદ સોસાયટી મેઈન રોડ કોઠારિયા રોડ રણુજા મંદિરની સામે)ને પકડી લીધો હતો. આ કામગીરી આજીડેમ પોલીસ મથકના પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.ડી. વાળા, હેડ કોન્સ. ઈન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, કુલદીપસિંહ, જયપાલભાઈ, ઉમેદભાઈ તથા ભીખુભાઈ દ્વારા કરવામાં આવી હતી.

(3:59 pm IST)