Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શ્રી મહાવીરપુરમ તીર્થના આંગણે સોમવારે શ્રી મહાવીર જન્મ વાંચન

રાજકોટઃ તા.૭, ગઇકાલથી પર્વાધીરાજ મહાપર્વ પયુષણનો પ્રારંભ  થયો છે ત્યારે અમદાવાદ હાઇવે ખાતે બામણબોર બાઉન્ડ્રી પાસે આવેલ મહાવીરપુરમ તીર્થમાં સોમવાર તા.૧૦ના શુભદિને પૂજય ભદ્વારક આચાર્ય શ્રી પુણ્યોદયસાગર સુરીજી મ.સા.ની નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન મહોત્સવ ઉજવાશે.

 આ પ્રસંગે સૌ પ્રથમ શ્રી ત્રિશુલા માતાના ચૌદ સ્વપ્ન, અષ્ટ મંગલ પુજા તથા શ્રી મહાવીર સ્વામીનું પારણું ઝુલાવવાની બોલી બોલાશે. આ ઉપરાંત સાંજના ચોવિહારના દોતા બનવાનો લાભ પણ લઇ શકશે. મહોત્સવમાં દરેક પ્રસંગનો લાભ લેવા શ્રાવક-શ્રાવિકાઓને   આમંત્રણ પાઠવાયું છે.

(4:28 pm IST)