Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવાના પ્રકરણમાં હાલ તુરંત પેટાચૂંટણી નહિં : હાઈકોર્ટે મ્યુ. કમિશ્નર પાસે લેખિત માંગ્યુ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજાને જનરલ બોર્ડમાં સતત ગેરહાજરી સબબ મ્યુ. કમિશ્નરે ગેરલાયક ઠેરવ્યા છે : કમિશ્નરના આ નિર્ણયની સામે કોર્પોરેટર ધર્મિષ્ઠાબાએ હાઈકોર્ટમાં લડત માંડી છે : આજે આ પીટીશનની સુનાવણીમાં નામદાર હાઈકોર્ટે મ્યુ. કમિશ્નરને આદેશ કર્યો છે કે તેઓ ચૂંટણી કમિશનને લેખિતપત્ર પાઠવી અને જણાવે કે હાલ તુરંત વોર્ડ નં.૧૮માં પેટાચૂંટણી કરવાની થતી નથી : કોર્પોરેશન વતી એટર્ની જનરલે આ બાબત લેખિતમાં આપ્યાનું શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતું.

(4:21 pm IST)