Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કબીરવન સોસાયટી પાસે એકટીવાની ઠોકરે ઘવાયેલા વૃધ્ધ નારણભાઇનું મોત

ચાર દિવસ પહેલા વૃધ્ધ નારણભાઇ દુધરેજીયાને એકટીવા ચાલકે હડફેટે લીધા'તા

રાજકોટ, તા.૭: સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં બાવાજી વૃધ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું.

મળતી વિગત મુજબ કબીરવન સોસાયટી-૧ વિભાગ-૨ માં રહેતા નારણદાસભાઇ દુધરેજીયા (ઉ.વ.૬૮) ગત તા.૪/૭ના રોજ પોતે ચાલીને જતા હતા ત્યારે ઘર પાસે કોઇ અજાણ્યા એકટીવાના ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ.પી.ડી. જાવે તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)