રાજકોટ
News of Saturday, 7th July 2018

કબીરવન સોસાયટી પાસે એકટીવાની ઠોકરે ઘવાયેલા વૃધ્ધ નારણભાઇનું મોત

ચાર દિવસ પહેલા વૃધ્ધ નારણભાઇ દુધરેજીયાને એકટીવા ચાલકે હડફેટે લીધા'તા

રાજકોટ, તા.૭: સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં બાવાજી વૃધ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું.

મળતી વિગત મુજબ કબીરવન સોસાયટી-૧ વિભાગ-૨ માં રહેતા નારણદાસભાઇ દુધરેજીયા (ઉ.વ.૬૮) ગત તા.૪/૭ના રોજ પોતે ચાલીને જતા હતા ત્યારે ઘર પાસે કોઇ અજાણ્યા એકટીવાના ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ.પી.ડી. જાવે તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)