Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રેલનગરમાં દિવો પડતાં ભડકો થયોઃ ખમ્માબા મકવાણા દાઝયા

રાજકોટ તા. ૬: રેલનગર સન્ની રેસિડેન્સી-૨૩માં રહેતાં ખમ્માબા અંકિતસિંહ મકવાણા (ઉ.૨૬) નામના રજપૂત પરિણીતા મોઢા, હાથ, છાતીના ભાગે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ખમ્માબાના માવતર લોધીકાના ખીરસરા ગામે રહે છે. પિતાનું નામ રમેશભાઇ ચાવડા છે. લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પતિ ઓનલાઇન વેંચાણનું કામ કરતી કંપનીમાં નોકરી કરે છે. ખમ્માબાના કહેવા મુજબ રાત્રે પોણા બારેક વાગ્યે લાઇટ જતાં કેરોસીનની દિવો ચાલુ કર્યો હતો. જે દાદરા પર રાખ્યો હોઇ ત્યાંથી નીચે પડતાં ભડકો થતાં પોતે દાઝી ગયા હતાં. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:27 pm IST)