Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજકોટ IT ના જોઇન્ટ કમિશ્નર અંજારીયા, ગુપ્તા અને સોલંકીની મુંબઇ રાજસ્થાન ખાતે બદલી

ખાલી પડેલી જગ્યા ઉપર સાંજે અથવા કાલે નવા હુકમો થશે

રાજકોટ તા.૫: રાજકોટ આવકવેરા પ્રાદેશિક કચેરીમાં ફરજ બજાવતા જોઇન્ટ કમિશ્નર અને એડીશ્નલ કમિશ્નરની બદલી ગઇકાલે રાત્રે કરવામાં આવી છે. રાજકોટમાં ઇન્કમટેક્ષના એડીશ્નલ કમિશ્નર ચૈતન્ય અંજારીયાને મુંબઇ ખાતે બદલી થઇ છે. જયારે ડેપ્યુટી કમિશ્નર શ્રી બી.ડી. ગુપ્તાને રાજસ્થાન ખાતે બદલી થઇ જયારે  જામનગર ખાતે ફરજ બજાવતા કે.એમ. સોલંકીને ગુજરાતમાં રાખવામાં આવ્યા છે. જયારે રવી પ્રકાશ ની પણ બદલી થઇ છે.રાજકોટના ૪ આવકવેરા અધિકારીની બદલી થઇ છે તેમના સ્થાને હજુ કોઇ અધિકારીની નિમણૂંક થઇ નથી સંભવત એકાદ દિવસમાં નવી બદલીના ઓર્ડર થશે.

રાજકોટમાં શ્રી. બી.ડી. ગુપ્તાનો હવાલો હવે ચેતનભાઇ કાચા સંભાળશે.

(5:03 pm IST)