Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૯-૯-ર૦ર૦,મંગળવાર
અધિક આસો સુદ-૧૩
પ્રદોષ, શનિ માર્ગી, મૃત્યુ યોગ સૂર્યોદયથી ર૪-૪૮,
રવિયોગ-ર૪-૪૮થી
સૂર્ય-કન્યા
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૯
સૂર્યાસ્ત-૬-૩પ
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૩ થી ૧૩-૦૧ સુધી
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૬ સુધી, ૧પ-૩૬થી શુભ-૧૭-૦પ સુધી, ર૦-૦પથી લાભ-ર૧-૩૬ સુધી, ર૩-૦૭થી શુભ-અમૃત-ચલ-ર૭-૩૮ સુધી,
શુભ હોરા
૮-૩૮થી ૧૧-૩૭ સુધી, ૧ર-૩૭થી ૧૩-૩૭ સુધી, ૧પ-૩૬થી ૧૮-૩પ સુધી, ૧૯-૩પ થી ર૦-૩૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે જયોતિષના શોખીનો કયારેક કોઇની જન્મ પત્રિકા જોઇએ જો જન્મકુંડલીમાં સૂર્ય અને શનિ એકજ રાશિમાં હોય તો કેવું ફળાદેશ કહેશે અથવા ઘણા બધા લોકો પાસે જન્માક્ષર બતાવીને પોતે જયોતિષના જાણકાર બનેલા લોકો કેવું ફળાદેશ કહેશે. સૂર્ય અને શનિ બાબતનું ફળાદેશ કેવું હોઇ શકે. સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે સૂર્ય અને શનિ જો જન્મકુંડલીમાં કનેકટેક હોય તો પિતાશ્રી સાથે ન બને પણ મારા વર્ષોના અનુભવ ઉપરથી એવું તારણ કાઢેલ છે કે આવા ગ્રહો હોય છતાં પણ પિતાશ્રી સાથે પુત્રના સંબંધો સારા હોય છે. ટુંકમાં ફળાદેશ બાબત સમજદારી કેળવવી-રોજ પક્ષીને ચણ નાખવું.