Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-૯-ર૦૧૯ રવિવાર
ભાદરવા વાદ-૧,
બીજનું શ્રાદ્ધ, પંચક, ઇષ્ટ -
રાજયોગ ૧ર-ર૪ થી રપ-૪પ
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૪
સૂર્યાસ્ત-૬-૪૯,
જૈન નવકારશી-૭-૨ર
ચંદ્રરાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૭થી ચલ-લાભ-અમૃત-૧ર-૪ર સુધી,૧૪-૧૪ થી શુભ-૧પ-૪૬ સુધી, ૧૮-પ૦થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૪ સુધી,
શુભ હોરા
૭-૩૬ થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪ર સુધી, ૧૪-૪પ થી ૧૭-૪૯ સુધી, ૧૮-પ૦થી ૧૯-૪૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જયારે જન્મ કુંડલીમાં સૂર્ય કે ચંદ્રની ઉપર શનિની દૃષ્ટિ હોય કે રાહુની દૃષ્ટિ હોય ત્યારે આવી વ્યકિતઓના લગ્ન ન થયા હોય ત્યારે તેઓ નોકરી કે ધંધો કરતા હોય ત્યારે તેમની વીમા પોલીસી કે નોકરીમાં પ્રોવિડન્ડ-ગ્રેચ્યુટી વગેરે પરિવારના સભ્યોના નામે રાખેલ હોય છે અને પછી લગ્ન થઇ ગયા હોવા છતાં પણ પોતાની પત્નીના નામે કે પોતાના હસબન્ડના નામે કોઇ નોમીની કરતા નથી. લગ્ન પછી ભલે તુરત જ કોઇ ફેરફારો ન કર્યા હોય પણ લગ્ન પછી બધુ બરાબર ચાલતું હોય તો પોતાની પત્ની કે બાળકોને નોમીની તરીકે રાખવા જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ તકલીફો ન રહે. અહીં ગ્રહોની ચાલ વ્યકિતને કયારે કંઇ સ્થિતિમાં મૂકી દયે છે તે ખબર નથી હોતી થોડી દીર્ધ દૃષ્ટિનો ખ્યાલ રાખીને નિર્ણયો લેવા રોજ સૂર્ય નમસ્કાર કરવા અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા. શનિવારે હનુમાનજીનું વ્રત કરવા રોજ પક્ષીને ચણ નાખવું.