Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020
અવસાન નોંધ

ડો.દિનકરભાઈ શેઠ

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ થાણા મુંબઈ ડો.દિનકરભાઈ છોટાલાલ શેઠ (ઉ.વ.૮૧) તે મોટી પાનેલી નિવાસી સ્વ.ત્રિભોવનદાસ ભગવનજી શાહના જમાઈ, તારાબેનના પતિ, યગ્નેશ શેઠના પિતાશ્રીનું તા.૨૪ના રોજ થાણા મુંબઈ મુકામે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગ અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંજયભાઇ  આહ્યા

રાજકોટઃ સંજયભાઇ લક્ષ્મીદાસ આહ્યા (ઉ.વ.૫૭) તે ઉષાબેનના પતિ તે વૈશાલી, સ્વેતા અને ધવલના પીતા અને કેતનભાઇ, જયેશભાઇના મોટાભાઇ તા.૨૫ના રોજ અવસાન પામ્યા છે. સદ્ગતનું  ટેલીફોન બેસણું તા.૨૭ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ડો. દિનકર શેઠ

ઉપલેટા નિવાસી હાલ થાણા,મુંબઇ ડો.દિનકર છોટાલાલ શેઠ,(ઉ. વ. ૮૧) તે મોટી પાનેલી નિવાસી સ્વ.ત્રિભોવનદાસ ભગવનજી શાહના જમાઈ, તારાબેનના પતિ યગ્નેશ શેઠના પિતાશ્રીનું તા ૨૪ના   રોજ થાણા મુંબઈ મુકામે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગ અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

તનસુખભાઈ માલકીયા

રાજકોટઃ તનસુખભાઈ મોહનભાઈ માલકીયા (ઉ.વ.૬૨)નું તા.૨૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના વાયરસના લીધે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૯૭૮૦ ૨૧૦૬૦ / મો.૭૬૯૮૦ ૧૫૬૫૧ ચંદુભાઈ મોહનભાઈ માલકીયા, પ્રવિણભાઈ મોહનભાઈ માલકીયા, મિલનભાઈ તનસુખભાઈ માલકીયા

મીનાક્ષીબેન વ્યાસ

જેતપુરઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મનીષભાઇ રસીકભાઇ વ્યાસના ધર્મપત્નિ મીનાક્ષીબેન (ઉ.વ.૪૨) તે જીતુભાઇ (નગરપાલીકા)ના નાનાભાઇના ધર્મપત્નિ તા.૨૪ના અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર તેમજ બેસણુ ટેલીફોનીક રાખેલ છે.

વિદ્યાબેન રાવલ

જુનાગઢઃ ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ બિલખા નિવાસી હાલ જુનાગઢ, સ્વ. શ્રી વિદ્યાબેન મનસુખલાલ રાવલ ઉ.વ. ૯૩ નું જુનાગઢનાં બ્રહ્મ સમાજ અગ્રણી અને એડવોકેટ-નોટરી શ્રી ભરતભાઇ એમ. રાવલ તથા મહેશભાઇ રાવલ, જયકાંતભાઇ રાવલ, રાજેન્દ્રભાઇ રાવલ, સંજયભાઇ રાવલ અને વીણાબેન હરેશકુમાર પંડયા તથા ઉષાબેન રાજેશકુમાર વ્યાસનાં માતુશ્રી તથા અમરેલી નિવાસી શિવકુમાર નરભેરામ પંડયાનાં મોટા બ્હેનનું તા. ર૪ શુક્રવારે અવસાન થયેલ છે. કોરોના વાયરસનાં કારણે ટેલિફોનીક બેસણું રાખેલ છે. અને ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.

જયલાલભાઇ ઉનડકટ

ચલાલાઃ ચલાલાના વતની હાલ રાજકોટ ચલાલા લોહાણા સમાજના વરીષ્ઠ આગેવાન અને ચલાલા લોહાણા મહાજનના પુર્વ મંત્રી જયલાલભાઇ ડાયાલાલભાઇ ઉનડકટ ઉ. વર્ષ ૭૦ તેઓ ગંભીરભાઇ ઉનડકટના ભાઇ તેમજ હિતેશભાઇ અને પલવેશભાઇના પિતાશ્રીનું તા. ર૪ને શુક્રવારે રાજકોટ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તેઓના રાજકોટના નિવાસસ્થાને તા. રપ-૪-ર૦ર૦ સાંજના ૪ થી ૬ મો. નં. ૯૩ર૮૦ ૩૪પપ૧ પરથી રાખેલ છે.

જમનભાઇ હિન્સુ

મોરબીઃ મોરબી નિવાસી (પીઠડ વાળા) જમનભાઇ કાનજીભાઇ હિન્સુ (ઉવ.૬૬) તે વસંતભાઇ મોટાભાઇ અને જશ્મીનભાઇના પિતા તા. ૨૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણુ તથા લૌકિક ક્રિયા હાલના સંજોગોના કારણે રદ કરેલ છે.

રામશીભાઇ ગલ

કેશોદઃ બામણાસા ઘેડ નીવાસી સ્વ. રામશીભાઇ માલદેવભાઇ ગલ તે ભીમશીભાઇ અને રાજેશભાઇના પિતાશ્રીનું તા.૨૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૨૫ને શનિવારે રાખેલ છે. ઉતરક્રિયા તા. ૨૮ને મંગળવારના દિવસે રાખેલ છે. સંપર્ક ભીમશીભાઇ ૯૫૭૪૭ ૯૧૩૧૭ રાજેશભાઇ ૯૬૨૪૯ ૧૮૬૫૭.