Gujarati News

Gujarati News

News of Sunday, 21st June 2020

સાઉદી અરેબિયામાં કર્ફ્યુ હટાવાયો : આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો હેતુ : પવિત્ર હજયાત્રા અંગે હજુ સુધી કોઈ એલાન નહીં

સાઉદી અરેબિયા : કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે સાઉદી અરેબિયા સરકારે કર્ફ્યુ હટાવી લીધો છે.જેનો હેતુ વ્યવસાયિક પ્રવૃતિઓમાં તેજી લાવવાનો છે.
જોકે ધાર્મિક યાત્રાઓ ઉપરના પ્રતિબંધ યથાવત છે.હજુ સુધી સરકારે પવિત્ર હજયાત્રા મામલે કોઈ એલાન કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 54 હજાર ઉપર થઇ ગઈ છે.તથા મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક  હજાર બસ્સોનો આંક વટાવી ગઈ છે.

(8:00 pm IST)