Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કૈરેનામાં જિન્નાની હાર અને ગન્નાની જીત થઇ છે: આરએલડીના નેતા જયંત ચૌધરી

બધા ભેગા મળીને સાંપ્રદાયિક તાકાતોનો મુકાબલો કરીશું : લોકસભા ચૂંટણીમાં પણ આવા જ પરિણામો આવશે

ઉત્તર પ્રદેશની કૈરાનાની લોકસભા સીટ પર બધાની નજર ટકેલી હતી. રાષ્ટ્રીય લોકદળ નેતા જયંત ચૌધરીએ પરિણામોમાં મળેલી જીત બાદ ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેરનામાં જિન્નાની હાર થઇ અને ગન્નાની જીત થઇ છે. આ સાથે જ તેમણે આરએલડીનું સમર્થન કરનારી પાર્ટીનો આભાર માન્યો છે.

 ચૌધરીએ કહ્યું કે, અમે બધા સાથે મળીને સાંપ્રદાયિક તાકતોનો મુકાબલો કરીશું અને ગઠબંધનને આ જ રીતે આગળ લઇ જઈશું. આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે  ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પણ આવા જ પરિણામો જોવા મળશે. કેરનામાં પરિણામોમાં જીત બાદ જયંત ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મંગલયાનથી લઈને ૯ કિમી સુધીના રસ્તાનો શ્રેય જયારે પોતે લે છે તો હારની જવાબદારી પણ લેવી પડશે.

(7:18 pm IST)