Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રાજીવ ગાંધી હત્યાકાંડમાં ર૮ વર્ષથી જેલમાં બંધ નલીનીએ પીએમ પાસે માંગ્યુ ઇચ્છા મૃત્યુ

         પૂર્વ પ્રધાનમંત્રીરાજીવ ગાંધી  હત્યાકાંડમાં લગભગ ર૮ વર્ષથી જેલમાં બંધ નલિની શ્રીહરનએ જેલ અધિકારીઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી, મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ અને તામીલનાડૂના મુખ્ય સચિવ પાસે પોતાના અને પતિ માટે ઇચ્છા મૃત્યુનીમાંગ કરી છે.

        નલિના વકીલએ જણાવ્યું કે તે છેલ્લા એક અઠવાડીયાથી ભૂખ હડતાળ પર છે નલિની પતિ સાથે તામીલનાડુની વેલ્લોર જેલમાં બંધ છે.

(11:29 pm IST)