Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

શરદ પવાર પુત્રીને કૃષિ મંત્રાલય તથા દેવેન્દ્ર ફડણવીસને બદલે બીજા CM માંગતા'તાઃ પીએમ મોદી તૈયાર ન થયા

પડદા પાછળની વાત બહાર આવીઃ શરદ પવારની હતી ૨ શરતોઃ બંને શરત માનવી મોદી-ભાજપ માટે હતી અશકય

નવી દિલ્હી, તા.૩૦:  ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  અધ્યક્ષ શરદ પવારએ બે શરતો મુકી હતી. પહેલી શરત હતી કે રાજકારણમાં સક્રિય પુત્રી સુપ્રિયા સુલે માટે ભારે ભરખમ કૃષિ મંત્રાલય અને બીજી દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવા. જયારે આ વાતનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સામે આવી તો તે સરકાર બનાવવા માટે આ શરતોને માનવા માટે તૈયાર નથી. 

ભાજપના સૂત્રોએ આઇએએનએસને જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વને લાગ્યું કે જો મહારાષ્ટ્ર માં સમર્થન પ્રાપ્ત કરવા માટે એનસીપીને કૃષિ મંત્રાલયને આપી દીધું, તો પછી બિહારમાં જૂના સહયોગી જેડીયૂ રેલવે મંત્રાલય માટે દાવો ઠોકી ધર્મસંકટ પેદા કરી શકે છે. એવામાં પ્રચંડ બહુમત છતાં બે મોટા મંત્રાલય ભાજપના હાથમાંથી નિકળી શકે છે.

સૂત્રોએ શરદ પવારની બીજી શરત વિશે જણાવ્યું કે જે પ્રકારે મહારાષ્ટ્ર  જેવા રાજયમાં દેવેન્દ્ર ફડણવીસ ૫ વર્ષ સુધી બેદાગ સત્ત્।ા ચલાવવામાં સફળ રહ્યા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને મુખ્યમંત્રીનો ચહેરો બનાવીને ચૂંટણી લડ્યા, ૨૪ ઓકટોબરના રોજ પરિણામ આવવાના દિવસે પાર્ટી મુખ્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફડણવીસના જ નેતૃત્વમાં સરકાર બનાવવાની જાહેરાત કરી, ત્યારબાદ ફડણવીસની જગ્યાએ બીજા કોઇને સીએમ બનાવવાની શરત માનવી ભાજપના શકય ન હતી.

સૂત્રોનું કહેવું છે કે આ બંને માંગોને સ્વિકારવા માટે શરદ પવારે ભાજપ અને મોદી-શાહને સંદેશ મોકલીને વિચારવાનો સમય આપ્યો હતો. એટલું જ નહી પરિણામો આવ્યા બાદ પવારે ભાજપ નેતૃત્વ વિરૂદ્ઘ એવું કંઇ તીખું બોલ્યા ન હતા, જેના પર ભાજપ તરફથી જવાબી પ્રતિક્રિયા આવવાનો અવકાશ રહેતો. નિવેદનબાજી ફકત શિવસેના અને ભાજપ વચ્ચે થતી રહી.

સૂત્રોનું કહેવું છે કે માંગ પર ભાજપ દ્વારા સકારાત્મક વલણ ન મળતાં ૨૦ નવેમ્બરના રોજ જયારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીને પવાર મળ્યા તો લગભગ ૪૦-૪૫ મિનિટ લાંબી વાતચીત ચાલી. જોકે આ મુલાકાત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શરદ પવારની બંને માંગો પર રાજી ન થયા અને ના તો તેમણે ખુલીને કહ્યું. આ દરમિયાન ૨૨ નવેમ્બરના રોજ રાતોરાત શરદ પવારના ભત્રીજા અજિત પવારે  બાગી બનીને ભાજપ સાથે સરકાર બનાવવાની ઓફર કરી દીધી. શરૂઆતના સમાચારોમાં કહેવામાં આવ્યું કે અજિત પવાર સાથે ૩૦-૩૫ ધારાસભ્યો તૂટીને ભાજપ સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે.

એમ પણ કહેવામાં આવ્યું કે તેમાં શરદ પવારની પણ મૌન સહમતિ છે. પરંતુ પછી શરદ પવારે ટ્વિટ કરી ભાજપ સાથે એનસીપીના ગઠબંધનની વાતને નકારી કાઢતાં કહ્યું કે સરકારમાં સામેલ થવાનો અજિત પવારનો અંગત નિર્ણય છે.

સંઘ અને ભાજપ મુદ્દાના જાણકાર નાગપુરના દિલીપ દેવદ્યરે આઇએએનએસને કહ્યું કે 'સંઘ પરિવારમાં શરદ પવારની આ બે શરતોની ખૂબ ચર્ચા રહી. જોકે તેનાથી પણ વધુ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દબાણો આગળ ન ઝુકવાની રહી. મહારાષ્ટ્રમાં ખેડૂતોના મુખ્ય મુદ્દા હોવાના કારણે ત્યાંના રાજકારણ માટે કૃષિ મંત્રાલય ખૂબ મહત્વનું છે. શરદ પવાર પૂર્વમાં કૃષિ મંત્રી રહી ચૂકયા છે. બીજું મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ મોદીની જ શોધ રહ્યા છે, એવામાં તેમને સાઇડલાઇન કરવાનો પ્રશ્ન ઉદભવતો જ નથી. શરદ પવારને જયારે લાગ્યું કે ભાજપની તેમની માંગોને લઇને માનવાની નથી, તો તેમણે આખરે કોંગ્રેસ-શિવસેના સાથે પહેલાંથી જ સરકાર બનાવવાને લઇને ચાલી રહેલી વાતચીતને મુકામ પર પહોંચાડવાનો નિર્ણય કર્યો.

(11:37 am IST)