Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પરમાણુ યુદ્ધ થાય તો ૨.૧૦ કરોડ લોકોના તત્કાલ મોત થઈ જાય

અકલ્પનીય અને ભયાનક પરિણામો આવી શકે છેઃ અસર માત્ર ભારત અને પાકિસ્તાનમાં જ નહિ પરંતુ અડધી દુનિયા ઉપર પડી શકેઃ કુલ ૧૨ કરોડ લોકોને અસર થાયઃ સેંકડો કિલોમીટરના વિસ્તારમાં ઉભો પાક નાશ પામેઃ આર્થિક-સામાજિક સમસ્યાઓ ઉભી થાયઃ ગરીબી-બેકારી-ભૂખમરો પણ ઉભા થાય

નવી દિલ્હી, તા. ૨૮ :. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો અડધી દુનિયા દાવ ઉપર આવી જશે. બન્ને દેશ પોતાને ત્યાંના અડધા પરમાણુ બોંબનું બટન દબાવી દયે તો ભારત અને પાકિસ્તાનમાં એક જ ઝાટકામાં ૨ કરોડ ૧૦ લાખ લોકો માર્યા જશે. જેની અસર માત્ર પાડોશી દેશ ઉપર જ નહિ પરંતુ અડધી દુનિયા ઉપર પડી શકે છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થયુ તો પરિણામ ભયાનક આવી શકે છે. ભારતની નીતિ પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહિ કરવાની છે પરંતુ જો પાકિસ્તાન ઉપર ભૂત સવાર થાય તો ભારતે પણ આવુ કરવુ પડે. પાકિસ્તાનના નિશાના પર દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, મેરઠ, આગ્રા જેવા મહત્વના સૈન્ય ઠેકાણો આવી શકે છે.

રીપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે ભારતથી વધુ પરમાણુ હથીયારો છે જેમાં ડર્ટી બોમ્બ સૌથી વધુ ખતરનાક રેડીયોધર્મી પદાર્થ અને આવણીક પ્રક્ષેપાસ્ત્ર હોય છે જો પરમાણુ યુદ્ધ થાય તો લગભગ ૧૨ કરોડ લોકો તુરંત પ્રભાવિત થશે.

જો પરમાણુ બોંબ ફોડવામાં આવે તો એ વિસ્તારમાં ચમક સાથે ભયાનક આગનો ગોળો ઉઠે અને અનેક કિ.મી. સુધી બધુ સળગાવીને રાખ કરી દયે. આ વિસ્ફોટથી ઉત્પન્ન થતી ચમક એટલી તેજ હશે કે આનાથી લોકો આંધણા પણ થઈ શકે. આગનો ગોળો વાતાવરણની સમગ્ર હવા પોતાની તરફ ખેંચી લેશે અને તેના સંપર્કમાં આવનાર માણસો, પ્રાણીઓના મૃત્યુ ભયાનક ઢંગથી થશે. તેઓ અંદરથી સળગી જશે અને હાડકા ગળી જશે. જો પરમાણુ બોંબ ૬ મેગા ટનથી વધુ હશે તો તેના પરિણામ ઘણા જ ભયંકર આવશે.

પરમાણુ વિસ્ફોટથી નિકળનાર કાર્બનના વાદળો થોડા જ સમયમાં હુમલાવાળા ક્ષેત્રો સિવાય મોટા ક્ષેત્રોમાં ફેલાયને સૂર્ય કિરણોને પૃથ્વી પર આવતા અટકાવશે અને આ કાળા વાદળોથી થનારી અમ્લ વર્ષાથી લાખો લોકો મરી શકે છે. પરમાણુ વિસ્ફોટથી ઓઝોન પરતમાં ભારે નુકશાન થશે. કાર્બનથી બનેલા વાદળો ધરતીની ૨૫ થી ૪૦થી લઈને ૭૦ ટકા ઓઝોન પરતને નષ્ટ કરી દેશે અને તે પછી અંતરીક્ષથી આવતા કિરણોથી માનવ જાતિ અને વનસ્પતિના અસ્તિત્વ પર ગંભીર અસર પાડશે.

પરમાણુ યુદ્ધ બાદ વ્યાપક વિધ્વંશ અને જાનહાનિ બાદ સરકારી ફરીથી આર્થિક અને સામાજિક માળખુ ઉભુ કરવુ પડશે. જેને દસકાઓ લાગી જશે. બેકારી, ગરીબી, ભૂખમરોથી અપરાધ વધશે. આંતરિક સુરક્ષાની સમસ્યા ઉભી થશે. એવુ માનવામાં આવે છે કે આર્થિક હાનિ તો કોઈ એક વખત સહી શકે છે અને તેને આગળ વધીને ઠીક પણ કરી શકાય છે પરંતુ આ યુદ્ધમાં જે અકલ્પનીય જાનહાનિ થશે તેનુ અનુમાન લગાવવુ ઘણુ અઘરૂ છે. ઉભા પાકનો નાશ થઈ જશે.(૨-૨)

(10:34 am IST)