Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન કુમારને પાછા લાવો

ગુજરાત કોંગ્રેસ દ્વારા પુલવામા હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ :અમદાવાદમાં પ્રાર્થનાસભા યોજાઈ

અમદાવાદ :ભારતીય વાયુસેનાના લાપત્તા પાયલટ અભિનંદન કુમાર સહી સલામત પરત આવે તે માટે કોંગ્રેસ દ્વારા શાહીબાગ સ્થિત જન શહિદ સ્મારક ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. આ સાથે પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

  આ પ્રાર્થના સભામાં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(9:29 pm IST)