Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચીન સીમા વિવાદ મામલે હું સાચુ કહીશ : ભલે મારી કારકિર્દી બરબાદ થઇ જાય : રાહુલ ગાંધી

ચીનીઓને આપણા દેશમાં પ્રવેશ વિશે જુઠ્ઠુ બોલી રહ્યા છે તે જ લોકો રાષ્ટ્રવાદી નથી

નવી દિલ્હી : સરકાર પર જૂઠ્ઠુ બોલવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે , " મને લાગે છે કે તે લોકો જે ચીનીઓને આપણા દેશમાં પ્રવેશ વિશે જુઠ્ઠુ બોલી રહ્યા છે તે જ લોકો રાષ્ટ્રવાદી નથી." મને લાગે છે કે જે લોકો જૂઠ્ઠું બોલે છે અને કહે છે કે ચીનીઓ ભારતમાં પ્રવેશ્યા નથી. તેઓ એવા લોકો છે જે દેશભક્ત નથી. તેથી હુ સ્પષ્ટ કહુ છુ , હું ચિંતા કરતો નથી કે તેની રાજકીય કિંમત ચૂકવવી પડે તો પણ. ભલે મારી રાજકીય કારકિર્દી સંપૂર્ણ સમાપ્ત થઇ જાય. જ્યાં સુધી ભારતીય ક્ષેત્રની વાત છે ત્યાં સુધી હું ફક્ત સત્ય જ બોલીશ

   રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ જાહેર કરતી વખતે આ વાત કરી હતી. જેમા તેમને પૂછવામાં આવ્યું છે કે તે લોકો વિશે તમારો શું વિચાર છે જે કહે છે કે વડા પ્રધાન પર ચીન અંગેનાં તમારા પ્રશ્નો ભારતને નબળા કરી રહ્યા છે ? રાહુલ ગાંધી કહે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા આ દેશ અને લોકોની છે. રાહુલે કહ્યું , ' એ બહુ સ્પષ્ટ છે કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશી ચુક્યા છે. આ વાત મને પરેશાન કરે છે. તેનાથી મારું લોહી ઉકળવા લાગે છે કે કેવી રીતે એક અન્ય દેશ આપણા દેશમાં પ્રવેશી ગયુ ? '' રાહુલ આગળ કહે છે , " એક રાજકારણી તરીકે તમે ઇચ્છો છો કે હું ચુપ રહુ અને મારા પોતાના લોકો સાથે જૂઠું બોલુ જ્યારે મને ખાતરી છે કે , મેં ઉપગ્રહની છબીઓ જોઇ છે , મેં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ સાથે વાત કરી છે , જો તમે ઇચ્છો છો કે હું જૂઠું બોલુ , કે ચીનીઓ આ દેશમાં પ્રવેશ્યા નથી , હું જૂઠ્ઠુ બોલીશ નહીં , સ્પષ્ટ કરી દઉ કે હું આ કરવા જઇ રહ્યો નથી. મને ચિંતા નથી મારી કારકિર્દી ડૂબી જાય. પણ હું જૂઠ્ઠું બોલી શકતો નથી. ''

(11:54 am IST)