Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા બોલ્‍યા કોંગ્રેસએ પહેલા જ ચેતવ્‍યા હતાઃ થોડા લોકો દંગોવાળી દિલ્લી બનાવવા માગે છે

            નવી દિલ્લીઃ કોંગ્રેસએ દિલ્લી અને દેશની જનતાથી સાંપ્રદાયિક સ્‍થિતિ બનાવી રાખવાની અપીલ કરતા મંગળવારના કહ્યું કે નૃશંસ દંગોના દોષિઓ, અસલી અપરાધીઓ અને એમને ભડકાવનાર વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ પાર્ટી મુખ્‍યાલયમાં સંવાદદાતાઓને સંબોધિત કરતા રાજધાની દિલ્લીમા બેહિસાબ અને અંધાધૂધ હિંસા, આગજની, પથ્‍થરમારો, અને હત્‍યનાની ઘટનાઓએ દેશને સતર્ક કરેલ છે. એમણે કહ્યું કે આ સમયે પણ દિલ્લીના ઘણા વિસ્‍તારોમાં હિંસાનુ તાંડવ ચાલી રહ્યું છે અને આ કોઇને મંજુર નથી.

            કોંગ્રેસએ હિંસામા માર્યા ગયેલ હેડ કોન્‍સ્‍ટેબલ રતનલાલ અને ચાર અન્‍ય નાગરિકોના મોત પર ઉંડો શોક અને દુઃખ વ્‍યકત કરેલ છે અને શોક સંતપ્ત પરિવાર પ્રત્‍યે પોતાની સંવેદના વ્‍યકત કરી છે. પાર્ટી દિલ્લી પોલીસના ઉપાયુકત અમિત શર્મા અને ૧૦૦ વધારે ઘાયલ વ્‍યકિતઓની તુરંત જ સ્‍વાસ્‍થ્‍ય લાભની કામના વ્‍યકત કરે છે એમણ કહ્યું કે પત્રકારો પર હુમલો કરવો નિંદનીય છે અને આના દોષિઓ સામે કાર્યવાહી થવી જોઇએ

(12:00 am IST)