Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કેજરીવાલ પાસે ૩.૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે

૨૦૧૫માં જે સંપત્તિ હતી તેમા ૧.૩ કરોડ રૂપિયાનો વધારો

નવી દિલ્હી, તા. ૨૨ :. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ૩.૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને વર્ષ ૨૦૧૫માં જે હતી તેમા રૂ. ૧.૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કેજરીવાલે ગઈકાલે ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ જે અનુસાર ૨૦૧૫માં તેમની સંપત્તિ ૨.૧ કરોડ રૂપિયા હતી. કેજરીવાલની પત્નિ સુનિતા કેજરીવાલ પાસે ૨૦૧૫માં રોકડ અને એફડી ૧૫ લાખની હતી. જે ૨૦૨૦માં વધીને ૫૭ લાખની થઈ છે.

'આપ'ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીઆરએસ લેતા સુનિતા કેજરીવાલને ૩૨ લાખ રૂપિયા અને એફડી મળી બાકી તેમની બચત છે. મુખ્યમંત્રી પાસે રોકડ અને એફડી ૨૦૧૫માં ૨.૨૬ લાખની હતી જે ૨૦૨૦માં વધીને ૯.૬૫ લાખની થઈ છે. કેજરીવાલની અચલ સંપત્તિ ૯૨ લાખ રૂપિયાથી વધી ૧૭૭ લાખની થઈ છે.

(11:25 am IST)