Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ગઠબંધનની અટકળ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે આપી ચેતવણી

યુપીમાં બીએસપી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી: ત્યારથી કોંગ્રેસ યુપીમાં પિટાઇ

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોંગ્રેસ શિવસેના સાથે ગઠબંધનની અટકળો વચ્ચે   મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે સરકારમાં જોડાવવા અંગે સવાલો ઉઠાવી પક્ષને ચેતવણી આપી છે.

સંજય નિરૂપમે જણાવ્યું કે શિવસેનાની સરકારમાં ત્રીજા નંબરની પાર્ટી બનવું એ કોંગ્રેસને મહારાષ્ટ્રમાં દફન કરવા બરાબર છે. આથી કોંગ્રેસ અધ્યક્ષ આ મુદ્દે કોઇ દબાણમાં ન આવે તે પક્ષ માટે યોગ્ય રહેશે.

સંજય નિરૂપમે જણાવ્યું કે વર્ષો પહેલા ઉત્તર પ્રદેશમાં બીએસપી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી હતી. ત્યારથી કોંગ્રેસ યુપીમાં એવી પિટાઇ રહી છે કે આજ દિવસ સુધી બેઠી થઇ શકી નથી. અને હવે મહારાષ્ટ્રમાં પણ આપણે આ જ ભુલ કરવા જઇ રહ્યા છીએ તેમ નિરુપમે જણાવ્યું.

(12:53 pm IST)