Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કેનેડામાં ભારતીય મૂળના યુવાન પરવિન્દરસિંહની હત્યા : 4 લોકોએ ઘરમાં ઘુસી ગોળીબાર કર્યો

બ્રામ્પટન : કેનેડાનું બ્રામ્પટન શહેર ભયના ઓથારમાં ફસાતું જઈ રહ્યું હોવાની એક વધુ ઘટના બહાર આવી છે. જે મુજબ કેનેડામાં 2009 ની સાલથી ટ્રક ડ્રાંઇવિંગનું કામ કરી રહેલા ભારતીય મૂળના યુવક પરવિન્દરસિંહના ઘરમાં ઘુસી 4 લોકોએ ખુલ્લેઆમ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ એરપોર્ટ રોડ સ્થિત તેના ડોનવુડ્સ કોર્ટના ઘરમાં ઘૂસીને ખુલ્લેઆમ ફાયરિંગ કર્યુ. ઘટનાને અંદાજ આપનારા બે લોકોએ પોલીસની સામે સરેન્ડર કરી દીધું, જ્યારે અન્ય બે લોકો ફરાર છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બંને યુવક 18 અને 19 વર્ષના છે. બંને સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ ચલાવવામાં આવશે. ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, ઘટના બાદ ત્રણ લોકોને કારમાં ભાગતા જોયા હતા. એક વ્યક્તિને કહ્યું કે, હુમલાખોરોએ પલવિંદર પર ફાયરિંગ કર્યુ અને મોકો જોઇને ફરાર થઇ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલવિંદરનું મોત વર્ષે બ્રામ્પટન વિસ્તારમાં હત્યાની 11મી ઘટના છે.

    - બ્રામ્પટન ચૂંટણીના ઉમેદવાર ચારમેન વિલિયમ્સે કહ્યું કે, તેમના વિસ્તારમાં ગન વાયોલન્સ સંક્રમણથી શરૂઆત છે. તેમના પાડોશી ઘટનાઓથી ઘણાં પરેશાન છે, કારણ કે તેઓને લાગે છે બ્રામ્પટન ભયના ઓથારમાં ફસાતું જઇ રહ્યું છે.

(6:33 pm IST)