Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભારતમાં કુલ 557 કેસ : 12 લોકોના મોત : દેશભરમાં 21 દિવસ લોકડાઉન

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 36 કેસ પોઝિટિવ

ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ તે મોટા પ્રમાણમાં પગપેસારો કરી રહ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1 પણ કેસ નોંધાયો નથી. દેશભરમાં કોરાનાનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 557 કેસ સામે આવી ચુક્યા છે અને કોરોનાના કારણે 12 લોકોના મોત થયા છે. લોકોને પ્રધાનમંત્રી મોદીએ ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 36 કેસ પોઝિટિવ આવ્યા છે.

(8:54 am IST)