Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૨૨મીએ ગુરૂવારે રાજ ઠાકરેને ઇડી સમક્ષ હાજર થવા આદેશ સામે થાણે બંધનું એલાન

મુંબઇઃ એમએનએસના અધ્યક્ષ શ્રી રાજ ઠાકરેને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ-ઇડીએ ગુરૂવાર તા.૨૨ના રોજ ''સીટીએનએલ'' કર્જ સંબધીત પુછતાછ માટે નોટીસ મોકલી હાજર થવા આદેશ આપ્યો છે.

ગઇકાલે ઇડીએ શીવસેનાના ધરખમ ગજાના નેતા શ્રી મનોહર જોશીના પુત્ર શ્રી ઉન્મેષ જોષીની ૫-૬ કલાકથી વધુ પુછપરછ કરી હતી.

ઉન્મેષની કંપની સીટીએનએલને આઇએલએન્ડએફએસ કંપનીએ નાણા ધીર્યા હતા. જેને સીટીએનએલએ નાદાર કરી દીધેલ. શ્રી રાજ ઠાકરેએ એ જ વર્ષે તેના શેર વેચેલ.

દરમિયાન ભાજપ સરકારના મનસ્વી વર્તનના વિરોધમાં રાજ ઠાકરેના પક્ષે ગુરૂવારે થાણે બંધનું એલાન આપ્યું છે.

(12:07 pm IST)