Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

મુંબઈના કુર્લામાં રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલી 20 બાઇકમાં આગ ભભુકતા તમામ બળીને ખાખ

નહેરુનગરની સોસાયટીમાં આગનો બનાવ : પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

મુંબઈના કુર્લા ખાતે આવેલ નહેરુ નગરમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલી 20 બાઇકમાં વહેલી સવારે આગ લાગી હતી. સોસાયટીના સભ્યોને આગની માહિતી મળતા જ ગભરાટ ફેલાયો હતો. આ મામલે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા તેમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તમામ બાઇક આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

એક અહેવાલ અનુસાર, વહેલી સવારે 20 બાઇકને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. અત્યારે આગ કાબૂમાં આવી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર હાજર છે અને તપાસ કરી રહી છે.

(10:41 am IST)